|
પાસપોર્ટની હકીકતઃ-
રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ ધ્વારા પાસપોર્ટ મેળવવા માટેની અરજીઓ ઓન લાઇન સ્વીકારવાનુ ચાલુ થતા ઓગષ્ટ-૨૦૧૨ થી જિલ્લા મથકે પાસપોર્ટ અરજીઓ સ્વીકારવાનું બંધ કરવામાં આવેલ છે.
કાર્યવાહીની રીતઃ-
લોકો ધ્વારા ઓનલાઇન પાસપોર્ટ મેળવવા માટે કરવામાં આવતી અરજીઓ સંદર્ભે રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ ધ્વારા એપોઇન્મેન્ટ આપવામાં આવે છે અને અરજદારશ્રી ઓએ જે તે તારીખે પાસપોર્ટ ઓફીસ અમદાવાદ/રાજકોટ ખાતે અસલ દસ્તાવેજો સાથે હાજર રહી ડોકયુમેન્ટ સબમીટ કરવાના હોય છે. ત્યાર બાદ પાસપોર્ટ ઓફીસ ધ્વારા પાસપોર્ટની અરજીઓ વેરીફિકેશન માટે ઓનલાઇન લગત પોલીસ અધીક્ષકની કચેરી ખાતે મોકલવામાં આવે છે. જે ઓનલાઇન આવતી અરજીઓ ઉપર પોલીસ અધીક્ષકની કચેરી ખાતે એલ.આઇ.બી. શાખા ધ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને ઓનલાઇન વેરીફીકેશન માટે મળેલ અરજીઓને લગત પોલીસ સ્ટેશન તરફ વેરીફિકેશન માટે મોકલે છે.
પોલીસ સ્ટેશન ધ્વારા આ પાસપોર્ટ અંગેની અરજીઓ તેમજ તેની સાથે સામેલ ડોકયુમેન્ટ, ફોટા વિગેરે વેરીફાય કરી જરુરી નિવેદનો મેળવી રેકર્ડ ઉપર કોઇપણ ગુનામાં ન હોય તો પાસપોર્ટ આપવાના અભિપ્રાય સાથે પોલીસ અધીક્ષકની કચેરી ખાતે પરત મોકલે છે. જિલ્લા કક્ષાએથી એલ.આઇ.બી. શાખા ધ્વારા પો.સ્ટે.ના અભિપ્રાય મુજબ રીજીયોનલ પાસપોર્ટ ઓફીસને ઓનલાઇન તથા હાર્ડકોપીમાં બન્ને રીતે પાસપોર્ટની અરજી વેરીફીકેશન કરી પરત મોકલવામાં આવે છે. પાસપોર્ટ ઓફીસ ધ્વારા આ પ્રક્રીયાના અન્તે અરજદારને પાસપોર્ટ આપવામાં આવે છે. જે પાસપોર્ટ અરજદારના રહેણાંકના સરનામે સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે છે.
|
|