|
કાયદો અને વ્યવસ્થાની જાળવણી
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં ૫-ના.પો.અધી.શ્રી, ૭-પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ૩૫-પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને ૧૦૪પ-પોલીસ કર્મચારી/લોકરક્ષક કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે
- જીલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમ્યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમ્યાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે
|
|