|
સુરેન્દ્રનગર જિલ્લો-સાફલ્યગાથા
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા શ્રી ડી.એન.પટેલ નાઓ દ્રારા સરકાર શ્રી તરફથી લોકોની સુરક્ષા માટે ફાળવવામાં આવેલ નવી PCR વાહનનુ એસ.પી.કચેરી સુરેન્દ્રનગર ખાતેથી લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવેલ હતું.
સુરેન્દ્રનગર જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે સુરેન્દ્રનગર ટાઉનહોલ ખાતે ઇન્ડીયા વાડોકાય કરાટે એસોશીએશન ના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં વઢવાણ, જોરાવરનગર, રાણપુર, ધંધુકાની શાળાઓના વિધાર્થીઓ વચ્ચે કરાટે સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ. જેમા આશરે ૨૩૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ડો.શ્રી રૂદ્રરાજસિંહ ઝાલા તથા સ્કુલના પ્રિન્સીપાલ સ્વાતીબેન તેમજ વિધાર્થી (બાળકો) ના વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળેલ.શાળાના વિજેતા વિધાર્થી(બાળકો)ને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.અને આ કાર્યક્રમમાં ભાગ લીધેલ વિધાર્થીઓને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમનુ આયોજન વિ.પો.અધિ.શ્રી એ.કે.વાનાણી સુરેન્દ્રનગર નાઓ તથા સી.પી.આઇ.શ્રી સુરેન્દ્રનગર નાઓ દ્રારા કરવામાં આવેલ હતુ.
|
|