સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ શિસ્ત, ફરજનિષ્ઠા, નીતિમત્તા અને પ્રામાણિકતા તેમ જ બંધારણીય મૂલ્યોનાં ઉચ્ચત્તમ ધોરણો હાંસલ કરી, વિવેકબુદ્ધિ, નિર્ણાયક્તા, સંવેદનશીલતા અને કરુણા સાથે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત જનસેવાના આદર્શ સાથે જનસેવામાં કર્તવ્યપરાયણ રહી જાતિ-ધર્મ-ભાષા કે પ્રાદેશિક ભાવનાથી પર રહી મક્કમતા અને પારદર્શક્તા સાથે કાયદો વ્યવસ્થાની જાળવણી, ગુન્હા નિવારણ અને શોધન તેમ જ કાનૂન અમલીકરણની જવાબદારીનો અસરકારકતા સાથે નિર્વાહ કરી રાજયમાં નિરંતર વિકાસ અને સમૃદ્ધિ માટે યોગ્ય ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેશે. વીરતા અને કૌશલ્યથી ત્રાસવાદ, માનવમહત્તાને હાનિરૂપ પ્રવૃત્તિઓ, રાષ્ટ્રવિરોધી અને વિઘ્વંશક પ્રવૃત્તિનો સામનો કરી તેનું નિર્મૂલન કરી માનવતા વિરૂદ્ધની આવી પ્રવૃત્તિ સામે સદૈવ જાગ્રત રહેશે. વ્યાવસાયિક જ્ઞાન-નિપુણતામાં વધારો અને વિજ્ઞાન ટેક્નોલોજીના પોલીસ કાર્યમાં ઉપયોગથી તપાસની ગુણવત્તા અને વ્યવસ્થાની અસરકારતા વધારી કાયદાનું શાસન સુદ્રઢ કરવા અવિરત પ્રયત્નશીલ કરશે. સકારાત્મક અભિગમ સાથે કાયદાકીય જોગવાઈએ નાગરિકોને કેન્દ્રમાં રાખી પોલીસ કાર્યપદ્ધતિમાં ધરખમ અને પરિણામલક્ષી તેમ જ કાયમી ટકી રહે તે રીતે બદલાવ લાવી, વિનય વિવેકયુક્ત અને સુરુચિપૂર્ણ રીતભાત સાથે પોલીસ કામગીરીમાં જન સહયોગના માઘ્યમથી જન તકેદારી અને જન ભાગીદારીથી ગુન્હા નિવારણ, શોધન, માનવ મહત્તાને હાનિરૂપ વ્યસનો વગેરે સામાજિક બદીના નિર્મૂલન માટે કાનૂની કાર્યવાહી ઉપરાંત યોગ્ય વાતાવરણ નિર્માણ માટે પ્રયત્નશીલ રહેશે અને કોમી સદ્દભાવ તેમ જ એખલાસની ભાવના ઊભી કરી વિવિધ વર્ગો વચ્ચે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેની તકેદારી લેશે. ફરજમાં બિનપક્ષપાતી/તટસ્થ વલણ, મક્કમતા સાથે કાનૂન અમલીકરણ, જનઉત્તરદાયી પારદર્શક વ્યવસ્થા અને અન્ય વિભાગો સાથે આત્મીય સંકલન, માનવ અધિકાર પ્રત્યે આદર અને કાનૂન પ્રતિબદ્ધ નાગરીકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરી પોલીસના વ્યવસાયને જનમાનસ પર ઊંચું સ્થાન અપાવે તે રીતે ફરજ અદા કરી / રાજય પોલીસના "સેવા, સુરક્ષા અને શાંતિ" ના ઘ્યેયને ચરિતાર્થ કરશે.